📘 પ્રકરણ ૧: રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો ના ઇન્ટેક્સ્ટ પ્રશ્નો
બિંદુ ૧.૧ ના પ્રશ્નો (પાના નંબર ૫ પર): “
- મૅગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતાં પહેલાં શા માટે સ્વચ્છ કરવામાં આવે છે ?
- નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત સમીકરણ લખો :
- (i) હાઈડ્રોજન + ક્લોરિન → હાઈડ્રોજન ક્લોરાઈડ
- (ii) બેરિયમ ક્લોરાઈડ + ઍલ્યુમિનિયમ સલ્ફેટ → બેરિયમ સલ્ફેટ + ઍલ્યુમિનિયમ ક્લોરાઈડ
- (iii) સોડિયમ + પાણી → સોડિયમ હાઈડ્રૉક્સાઈડ + હાઈડ્રોજન
- નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા સહિતના સમતોલિત રાસાયણિક સમીકરણ લખો :
- (i) બેરિયમ ક્લોરાઈડ અને સોડિયમ સલ્ફેટના પાણીમાં બનાવેલાં દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થઈ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઈડનું દ્રાવણ મળે છે.
- (ii) સોડિયમ હાઈડ્રૉક્સાઈડનું દ્રાવણ (પાણીમાં) હાઈડ્રોક્લોરિક એસિડના દ્રાવણ (પાણીમાં) સાથે પ્રક્રિયા કરી સોડિયમ ક્લોરાઈડનું દ્રાવણ અને પાણી ઉત્પન્ન કરે છે.
બિંદુ ૧.૨ ના પ્રશ્નો (પાના નંબર ૧૦ પર): “
- પદાર્થ “X”નું દ્રાવણ ધોળવા (White Washing) માટે વપરાય છે.
- (i) પદાર્થ “X”નું નામ આપો અને તેનું સૂત્ર લખો.
- (ii) (i) માં જેનું નામ દર્શાવ્યું છે તે પદાર્થ “X”ની પાણી સાથેની પ્રક્રિયા લખો.
- પ્રવૃત્તિ ૧.૭ માં એક કસનળીમાં એકત્ર થતો વાયુનો જથ્થો એ બીજી કસનળીમાં એકત્ર થતા વાયુના જથ્થા કરતાં બમણો શા માટે છે ? આ વાયુનું નામ દર્શાવો.
બિંદુ ૧.૩ ના પ્રશ્નો (પાના નંબર ૧૩ પર): “
- જ્યારે કૉપર સલ્ફેટના દ્રાવણમાં આયર્નની ખીલી ડૂબાડવામાં આવે ત્યારે કૉપર સલ્ફેટના દ્રાવણનો રંગ શા માટે બદલાય છે ?
- પ્રવૃત્તિ ૧.૧૦ માં દર્શાવ્યા સિવાયની કોઈ એક દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ આપો.
- નીચે દર્શાવેલ પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન પામતા અને રિડક્શન પામતા પદાર્થોને ઓળખો:
- (i)

- (ii)

- (i)
📘 પ્રકરણ ૨: એસિડ, બેઈઝ અને ક્ષાર ના ઇન્ટેક્સ્ટ પ્રશ્નો
બિંદુ ૨.૧ ના પ્રશ્નો (પાના નંબર ૧૮ પર): “
- તમને ત્રણ કસનળી આપવામાં આવેલ છે. તેમાંની એક નિસ્યંદિત પાણી ધરાવે છે અને બાકીની બે અનુક્રમે એસિડિક અને બેઝિક દ્રાવણ ધરાવે છે. જો તમને માત્ર લાલ લિટમસ પેપર આપેલ હોય, તો તમે દરેક કસનળીમાં રહેલાં ઘટકોની ઓળખ કેવી રીતે કરશો ?
બિંદુ ૨.૧.૪ ના પ્રશ્નો (પાના નંબર ૨૨ પર): “
- શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાનાં વાસણોમાં ન રાખવા જોઈએ ?
- સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ મુક્ત થાય છે ? ઉદાહરણ દ્વારા સમજાવો. આ વાયુની હાજરીની કસોટી તમે કેવી રીતે કરશો ?
- ધાતુનું એક સંયોજન A મંદ હાઈડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને ઊભરા (effervescence) ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે. જો ઉત્પન્ન થતાં સંયોજનો પૈકી એક કૅલ્શિયમ ક્લોરાઈડ હોય તો પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો.
બિંદુ ૨.૨ ના પ્રશ્નો (પાના નંબર ૨૫ પર): “
- શા માટે
,
વગેરે જલીય દ્રાવણોમાં એસિડિક લક્ષણો ધરાવે છે, જ્યારે આલ્કોહોલ તેમજ ગ્લુકોઝ જેવાં સંયોજનોનાં દ્રાવણો એસિડિક લક્ષણો ધરાવતાં નથી ? - શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે ?
- શા માટે શુષ્ક
વાયુ શુષ્ક લિટમસ પેપરનો રંગ બદલતો નથી ? - એસિડને મંદ કરતી વખતે શા માટે એસિડને પાણીમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે, નહિ કે પાણીને એસિડમાં ઉમેરવાની ?
- જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઈડ્રોનિયમ આયનો (
) ની સાંદ્રતાને કેવી રીતે અસર થાય છે ? - જ્યારે સોડિયમ હાઈડ્રૉક્સાઈડના દ્રાવણમાં વધુ પ્રમાણમાં બેઈઝ ઓગાળવામાં આવે ત્યારે હાઈડ્રૉક્સાઈડ આયનો (
) ની સાંદ્રતાને કેવી રીતે અસર થાય છે ?
બિંદુ ૨.૩ ના પ્રશ્નો (પાના નંબર ૨૮ પર): “
- તમારી પાસે બે દ્રાવણો A અને B છે. દ્રાવણ A ની pH ૬ અને દ્રાવણ B ની pH ૮ છે. કયા દ્રાવણમાં હાઈડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે ? આ પૈકી કયું એસિડિક અને કયું બેઝિક છે ?
આયનની સાંદ્રતાની દ્રાવણના સ્વભાવ પર શી અસર થાય છે ?- શું બેઝિક દ્રાવણો પણ
આયનો ધરાવે છે ? જો હા તો તેઓ શા માટે બેઝિક હોય છે ? - તમારા મત મુજબ ખેડૂત માટીની કઈ પરિસ્થિતિમાં તેના ખેતરની માટીમાં કળીચૂનો (કૅલ્શિયમ ઓક્સાઈડ) અથવા ફોડેલો ચૂનો (કૅલ્શિયમ હાઇડ્રોક્સાઈડ) અથવા ચૉક (કૅલ્શિયમ કાર્બોનેટ)નો ઉપયોગ કરશે ?
બિંદુ ૨.૪ ના પ્રશ્નો (પાના નંબર ૩૩ પર): “
સંયોજનનું સામાન્ય નામ શું છે ?- એવા પદાર્થનું નામ આપો કે જેની ક્લોરિન સાથેની પ્રક્રિયાથી વિરંજન પાઉડર મળે છે.
- સખત પાણીને નરમ બનાવવા માટે ઉપયોગી સોડિયમ સંયોજનનું નામ આપો.
- સોડિયમ હાઈડ્રોજનકાર્બોનેટના દ્રાવણને ગરમ કરતાં શું થશે ? તેમાં થતી પ્રક્રિયા માટે સમીકરણ દર્શાવો.
- પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવતું સમીકરણ લખો.
📘 પ્રકરણ ૩: ધાતુઓ અને અધાતુઓ ના ઇન્ટેક્સ્ટ પ્રશ્નો
બિંદુ ૩.૧ ના પ્રશ્નો (પાના નંબર ૪૦ પર): “
- એવી ધાતુનું ઉદાહરણ આપો :
- (i) જે ઓરડાના તાપમાને પ્રવાહી છે.
- (ii) જે છરી વડે આસાનીથી કાપી શકાય છે.
- (iii) જે ઉષ્માની ઉત્તમ વાહક છે.
- (iv) જે ઉષ્માની મંદવાહક છે.
- ટિપાઉપણું અને તણાવપણું નો અર્થ સમજાવો.
બિંદુ ૩.૨ ના પ્રશ્નો (પાના નંબર ૪૬ પર): “
- શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે ?
- આ પ્રક્રિયાઓ માટે સમીકરણો લખો:
- (i) વરાળ સાથે આયર્ન
- (ii) પાણી સાથે કૅલ્શિયમ અને પોટેશિયમ
- [કોષ્ટક આધારિત પ્રશ્ન – પ્રતિક્રિયાત્મકતા શ્રેણી ચકાસવા માટે ચાર ધાતુઓ A, B, C અને D ને વિવિધ દ્રાવણોમાં ઉમેરીને મેળવેલા તારણોનો પ્રશ્ન]. “
બિંદુ ૩.૩ ના પ્રશ્નો (પાના નંબર ૪૯ પર): “
- (i) સોડિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમ માટે ઈલેક્ટ્રૉન-બિંદુની રચના લખો.
- (ii) ઈલેક્ટ્રૉનના સ્થાનાંતરણ દ્વારા
અને
નું નિર્માણ દર્શાવો. - (iii) આ સંયોજનોમાં કયા આયનો હાજર છે ?
- (ii) ઈલેક્ટ્રૉનના સ્થાનાંતરણ દ્વારા
- આયનીય સંયોજનો શા માટે ઊંચા ગલનબિંદુ ધરાવે છે ?
બિંદુ ૩.૪ ના પ્રશ્નો (પાના નંબર ૫૩ પર): “
- નીચેનાં પદોને વ્યાખ્યાયિત કરો : (i) ખનીજ (ii) કાચી ધાતુ (અયસ્ક) (iii) ગેંગ.
- કુદરતમાં મુક્ત અવસ્થામાં મળતી બે ધાતુઓનાં નામ આપો.
- ધાતુને તેના ઓક્સાઈડમાંથી મેળવવા માટે કઈ રાસાયણિક પ્રક્રિયા વપરાય છે ?
📘 પ્રકરણ ૪: કાર્બન અને તેનાં સંયોજનો ના ઇન્ટેક્સ્ટ પ્રશ્નો
બિંદુ ૪.૨ ના પ્રશ્નો (પાના નંબર ૬૮ પર): “
- પેન્ટેન માટે તમે કેટલાં બંધારણીય સમઘટકો દોરી શકો ?
- કાર્બનના બે ગુણધર્મો કયા છે, જેના કારણે આપણી ચારેય તરફ કાર્બન સંયોજનોની વિશાળ સંખ્યા આપણે જોઈએ છીએ ?
- સાયકલો પેન્ટેનનું સૂત્ર અને ઈલેક્ટ્રૉન બિંદુ-રચના શું થશે ?
- નીચે દર્શાવેલ સંયોજનોના બંધારણ દોરો: (i) ઈથેનોઈક એસિડ (ii) બ્રોમોપેન્ટેન (iii) બ્યુટેનોન (iv) હેક્ઝેનાલ.
- નીચે દર્શાવેલ સંયોજનોના નામ જણાવો (દા.ત.,
, વગેરે).
બિંદુ ૪.૩ ના પ્રશ્નો (પાના નંબર ૭૧ પર): “
- ઈથેનોલનું ઈથેનોઈક એસિડમાં રૂપાંતર શા માટે ઓક્સિડેશન-પ્રક્રિયા છે ?
- ઓક્સિજન અને ઈથાઈનનું મિશ્રણ વેલ્ડિંગ માટે સળગાવવામાં આવે છે. શું તમે કહી શકો કે શા માટે ઈથાઈન અને હવાના મિશ્રણનો ઉપયોગ થતો નથી ?
બિંદુ ૪.૪ ના પ્રશ્નો (પાના નંબર ૭૪ પર): “
- પ્રાયોગિક રીતે તમે આલ્કોહોલ અને કાર્બોકિસિલિક ઍસિડ વચ્ચેનો ભેદ કેવી રીતે પારખશો ?
- ઓક્સિડેશનકર્તા એટલે શું ?
બિંદુ ૪.૫ ના પ્રશ્નો (પાના નંબર ૭૭ પર): “
- શું તમે પ્રક્ષાલકનો ઉપયોગ કરી ચકાસી શકો છો કે પાણી કઠિન છે કે નહિ ?
- રસોઈ અને સાફસફાઈ દરમિયાન કપડાં સાફ કરવા માટે તેને ઘસવાની કે પછાડવાની જરૂર શા માટે પડે છે ? (સાબુ અને પ્રક્ષાલકની ક્રિયાવિધિ સંદર્ભે).
📘 પ્રકરણ ૫: જૈવિક ક્રિયાઓ ના ઇન્ટેક્સ્ટ પ્રશ્નો
બિંદુ ૫.૧ ના પ્રશ્નો (પાના નંબર ૮૦ પર): “
- આપણા જેવા બહુકોષીય સજીવોમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ એ શા માટે અપૂરતી ક્રિયા છે ?
- કોઈ વસ્તુ જીવંત છે, તેમ નક્કી કરવા માટે આપણે કયા માપદંડનો ઉપયોગ કરીશું ?
- કોઈ સજીવ દ્વારા કઈ બાહ્ય કાચી સામગ્રીઓનો ઉપયોગ કરાય છે ?
- જીવન ટકાવી રાખવા માટે તમે કઈ પ્રક્રિયાઓને જરૂરી ગણશો ?
બિંદુ ૫.૨ ના પ્રશ્નો (પાના નંબર ૮૫ પર): “
- સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ વચ્ચે શું તફાવત છે ?
- પ્રકાશસંશ્લેષણ માટે આવશ્યક કાચી સામગ્રી વનસ્પતિ ક્યાંથી પ્રાપ્ત કરે છે ?
- આપણા જઠરમાં એસિડની ભૂમિકા શું છે ?
- પાચક ઉત્સેચકોનું કાર્ય શું છે ?
- પાચિત ખોરાક કે પદાર્થોના અભિશોષણ માટે નાના આંતરડાંની રચનાઓ કેવી છે ?
બિંદુ ૫.૩ ના પ્રશ્નો (પાના નંબર ૯૦ પર): “
- શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં એક જળચર પ્રાણીની તુલનામાં સ્થળચર પ્રાણીને શું લાભ છે ?
- વિભિન્ન પ્રાણીઓમાં ગ્લુકોઝના ઓક્સિડેશન વડે ઊર્જા પ્રાપ્ત કરવાની વિવિધ રીતે કઈ છે ?
- મનુષ્યોમાં ઓક્સિજન અને કાર્બન ડાયૉક્સાઈડનું પરિવહન કેવી રીતે થાય છે ?
- વાતવિનિમય માટે માનવ-ફેફસાંમાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય એ માટે કઈ રચનાઓ છે ?
બિંદુ ૫.૪ ના પ્રશ્નો (પાના નંબર ૯૪ પર): “
- માનવમાં વહનતંત્ર કે પરિવહનતંત્રનાં ઘટકો કયા છે ? આ ઘટકોનું કાર્ય શું છે ?
- સસ્તન અને પક્ષીઓમાં ઓક્સિજનયુક્ત અને ઓક્સિજનવિહીન રુધિર અલગ કરવાની જરૂરિયાત કેમ છે ?
- ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વહનતંત્રનાં ઘટકો કયા છે ?
- વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોનું વહન કેવી રીતે થાય છે ?
- વનસ્પતિમાં ખોરાકનું સ્થળાંતરણ કેવી રીતે થાય છે ?
બિંદુ ૫.૫ ના પ્રશ્નો (પાના નંબર ૯૮ પર): “
- મૂત્રપિંડનલિકા (Nephron)ની રચના અને તેની ક્રિયાવિધિનું વર્ણન કરો.
- ઉત્સર્ગ પદાર્થોથી છુટકારો મેળવવા માટે વનસ્પતિમાં કઈ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે ?
- મૂત્રનિર્માણના પ્રમાણનું નિયમન કેવી રીતે થાય છે ?
📘 પ્રકરણ ૬: નિયંત્રણ અને સંકલન ના ઇન્ટેક્સ્ટ પ્રશ્નો
બિંદુ ૬.૧ ના પ્રશ્નો (પાના નંબર ૧૦૫ પર): “
- પરાવર્તી ક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચે શું ભેદ છે ?
- બે ચેતાકોષોની વચ્ચે આવેલ ચેતોપાગમમાં કઈ ઘટના બને છે ?
- મગજનો કયો ભાગ शरीरની સમસ્થિતિ અને સમતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે ?
- આપણને અગરબત્તીની સુવાસની ખબર કેવી રીતે થાય છે ?
- પરાવર્તી ક્રિયામાં મગજની ભૂમિકા શું છે ?
બિંદુ ૬.૨ ના પ્રશ્નો (પાના નંબર ૧૦૮ પર): “
- વનસ્પતિ અંતઃસ્ત્રાવો એટલે શું ?
- લજામણીનાં પર્ણોનું હલનચલન, એ પ્રકાશ તરફ પ્રરોહની ગતિથી કેવી રીતે ભિન્ન છે ?
- વૃદ્ધિ પ્રેરક વનસ્પતિ અંતઃસ્ત્રાવનું એક ઉદાહરણ આપો.
- કોઈ आधारની ચોતરફ વૃદ્ધિ કરવામાં ઓક્ઝિન કઈ રીતે આધારસૂત્રને મદદરૂપ થાય છે ?
- જલાનુવર્તન દર્શાવવા માટેના એક પ્રયોગનું નિદર્શન કરો.
બિંદુ ૬.૩ ના પ્રશ્નો (પાના નંબર ૧૧૧ પર): “
- પ્રાણીઓમાં રાસાયણિક સંકલન કેવી રીતે થાય છે ?
- આયોડિનયુક્ત મીઠાના ઉપયોગની સલાહ કેમ આપવામાં આવે છે ?
- જ્યારે એડ્રિનાલિન રુધિરમાં સ્ત્રવિત થાય છે ત્યારે આપણું शरीर કેવો પ્રતિચાર દર્શાવે છે ?
- મધુપ્રમેહના કેટલાક દર્દીઓની સારવાર ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપીને કેમ કરવામાં આવે છે ?
📘 પ્રકરણ ૭: સજીવો કેવી રીતે પ્રજનન કરે છે ? ના ઇન્ટેક્સ્ટ પ્રશ્નો
બિંદુ ૭.૧ ના પ્રશ્નો (પાના નંબર ૧૧૪ પર): “
- DNA પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્ત્વ છે ?
- સજીવોમાં ભિન્નતા જાતિઓ માટે તો લાભદાયક છે પરંતુ વ્યક્તિગત રીતે આવશ્યક નથી. કેમ ?
બિંદુ ૭.૨ ના પ્રશ્નો (પાના નંબર ૧૧૮ પર): “
- દ્વિભાજન એ બહુભાજનથી કેવી રીતે ભિન્ન છે ?
- બીજાણુ દ્વારા પ્રજનનથી સજીવને કેવી રીતે લાભ થાય છે ?
- જટિલ સંરચનાવાળા સજીવો પુનર્જનન દ્વારા નવી સંતતિ શા માટે ઉત્પન્ન કરી શકતા નથી ?
- કેટલીક વનસ્પતિઓનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે ?
- DNAની પ્રતિકૃતિ બનાવવી પ્રજનન માટેની આવશ્યકતા કેમ છે ?
બિંદુ ૭.૩ ના પ્રશ્નો (પાના નંબર ૧૨૫ પર): “
- પરાગનયનની ક્રિયા એ ફલનની ક્રિયાથી કેવી રીતે ભિન્ન છે ?
- શુક્રાશય તેમજ પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા શું છે ?
- તરુણાવસ્થાના સમયે છોકરીઓમાં કયાં પરિવર્તનો જોવા મળે છે ?
- માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ કેવી રીતે પ્રાપ્ત થાય છે ?
- જો કોઈ સ્ત્રી કોપર-T નો ઉપયોગ કરી રહી છે, તો શું આ તેને જાતીય સંક્રમિત રોગોથી રક્ષણ કરશે ?
📘 પ્રકરણ ૮: આનુવંશિકતા ના ઇન્ટેક્સ્ટ પ્રશ્નો
બિંદુ ૮.૧ ના પ્રશ્નો (પાના નંબર ૧૨૮ પર): “
- જો એક “લક્ષણ-A” અલિંગી પ્રજનનવાળી વસ્તીમાં ૧૦ % સભ્યોમાં જોવા મળે છે અને “લક્ષણ-B” તેની વસ્તીમાં ૬૦ % સજીવોમાં મળી આવે છે, તો કયું લક્ષણ પહેલા ઉત્પન્ન થયું હશે ?
- કોઈ જાતિમાં ભિન્નતાઓની ઉત્પત્તિ તેમના અસ્તિત્વને કેવી રીતે પ્રોત્સાહિત કરે છે ?
બિંદુ ૮.૨ ના પ્રશ્નો (પાના નંબર ૧૩૨ પર): “
- મૅન્ડલના પ્રયોગો દ્વારા કેવી રીતે સમજી શકાય કે લક્ષણ પ્રભાવી અથવા પ્રચ્છન્ન હોય છે ?
- મેન્ડલના પ્રયોગો દ્વારા કેવી રીતે સમજી શકાય કે વિવિધ લક્ષણો સ્વતંત્ર રીતથી આનુવંશિક હોય છે ?
- A રુધિરજૂથ ધરાવતો પુરુષ O રુધિરજૂથ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેમની પુત્રીનું રુધિરજૂથ O છે. રુધિરજૂથ A અથવા O પૈકી કયું લક્ષણ પ્રભાવી છે તે જાણવા માટે આ માહિતી પર્યાપ્ત છે ? શા માટે અથવા શા માટે નહીં ?
- માનવના બાળકનું લિંગનિશ્ચયન કેવી રીતે થાય છે ?
📘 પ્રકરણ ૯: પ્રકાશ – પરાવર્તન અને વક્રીભવન ના ઇન્ટેક્સ્ટ પ્રશ્નો
બિંદુ ૯.૨ ના પ્રશ્નો (પાના નંબર ૧૪૨ પર): “
- ૩૨ cm વક્રતાત્રિજ્યા ધરાવતાં બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ શોધો.
- એક અંતર્ગોળ અરીસો તેની સામે ૧૦ cm અંતરે રાખેલ વસ્તુનું ત્રણગણું મોટું વાસ્તવિક પ્રતિબિંબ આપે છે. પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે ?
બિંદુ ૯.૩ ના પ્રશ્નો (પાના નંબર ૧૪૯ પર): “
- હવામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ પાણીમાં ત્રાંસું પ્રવેશે છે. શું પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળશે કે લંબથી દૂર જશે ? કેમ ?
- પ્રકાશ હવામાંથી ૧.૫૦ વક્રીભવનાંક ધરાવતી કાચની પ્લેટમાં પ્રવેશે છે. કાચમાં પ્રકાશની ઝડપ કેટલી હશે ? શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ
છે. - પાઠ્યપુસ્તકના કોષ્ટકમાંથી સૌથી વધુ પ્રકાશીય ઘનતા ધરાવતું અને લઘુત્તમ પ્રકાશીય ઘનતા ધરાવતું માધ્યમ શોધો.
- તમને કેરોસીન, ટર્પેન્ટાઈન તથા પાણી આપેલ છે. આ પૈકી શેમાં પ્રકાશ સૌથી વધુ ઝડપથી ગતિ કરશે ?
- હીરાનો વક્રીભવનાંક ૨.૪૨ છે. આ વિધાનનો શું અર્થ થાય ?
બિંદુ ૯.૩.૪ ના પ્રશ્નો (પાના નંબર ૧૫૭ પર): “
- લેન્સના ૧ ડાયોપ્ટર પાવરની વ્યાખ્યા આપો.
- એક બહિર્ગોળ લેન્સ દ્વારા એક સોયનું વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ લેન્સથી ૫૦ cm દૂર મળે છે. જો પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું જ મેળવવું હોય, તો સોયને બહિર્ગોળ લેન્સથી કેટલી દૂર રાખવી જોઈએ ? લેન્સનો પાવર પણ ગણો.
- ૨ m કેન્દ્રલંબાઈ ધરાવતાં અંતર્ગોળ લેન્સનો પાવર શોધો.
📘 પ્રકરણ ૧૦: માનવ-આંખ અને રંગબેરંગી દુનિયા ના ઇન્ટેક્સ્ટ પ્રશ્નો
બિંદુ ૧૦.૨ ના પ્રશ્નો (પાના નંબર ૧૬૪ પર): “
- આંખની સમાવેશ ક્ષમતા એટલે શું ?
- લઘુદૃષ્ટિની ખામી ધરાવતી એક વ્યક્તિ ૧.૨ m થી વધારે દૂર વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકતી નથી. આ ખામીનું નિવારણ કરવા કયા પ્રકારનો શુદ્ધિકારક લેન્સ વાપરવો જોઈએ ?
- સામાન્ય દૃષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂરબિંદુ અને નજીકબિંદુ એટલે શું ?
- છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને બ્લેકબોર્ડ પરનું લખાણ વાંચવામાં તકલીફ પડે છે. આ બાળક કઈ ખામીથી પીડાતું હશે ? તેનું નિવારણ કેવી રીતે થઈ શકે ?
📘 પ્રકરણ ૧૧: વિદ્યુત ના ઇન્ટેક્સ્ટ પ્રશ્નો
બિંદુ ૧૧.૧ ના પ્રશ્નો (પાના નંબર ૧૭૨ પર): “
- વિદ્યુત–પરિપથનો અર્થ શું થાય ?
- વિદ્યુતપ્રવાહના એકમને વ્યાખ્યાયિત કરો.
- એક કુલંબ વિદ્યુતભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો.
બિંદુ ૧૧.૨ ના પ્રશ્નો (પાના નંબર ૧૭૩ પર): “
- વાહકના બે છેડા વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત જાળવી રાખવામાં મદદ કરતા ઉપકરણનું નામ આપો.
- બે બિંદુઓ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ૧ V છે તેનો અર્થ શું થાય ?
- ૬ V ની બેટરી તેમાંથી પસાર થતા દર ૧ કુલંબ વિદ્યુતભારને કેટલી ઊર્જા આપે છે ?
બિંદુ ૧૧.૫ ના પ્રશ્નો (પાના નંબર ૧૮૦ પર): “
- વાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે ?
- એક જ દ્રવ્યમાંથી બનેલા એક જાડા અને એક પાતળા તારને સમાન વિદ્યુતપ્રાપ્તિસ્થાન સાથે જોડતા કોનામાંથી વિદ્યુતપ્રવાહ સરળતાથી વહેશે ? શા માટે ?
- ધારો કે કોઈ વિદ્યુતઘટકના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ઘટાડીને અગાઉના મૂલ્યનો અડધો કરતા તેનો અવરોધ તેનો તે જ રહે છે. તો વિદ્યુતઘટકમાંથી વહેતા વિદ્યુતપ્રવાહમાં શો ફેરફાર થશે ?
- શા માટે ટોસ્ટર તથા વિદ્યુતઈસ્ત્રીની કોઈલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્રધાતુની બનાવવામાં આવે છે ?
- લોખંડ અને પારો માંથી કયું વિદ્યુતનું વધુ સારું વાહક છે અને કયું દ્રવ્ય શ્રેષ્ઠ વાહક છે ?
બિંદુ ૧૧.૬.૧ ના પ્રશ્નો (પાના નંબર ૧૮૪ પર): “
- એવો વિદ્યુત–પરિપથ દોરો કે જેમાં દરેક ૨ V ના ત્રણ કોષ, એક ૫ Ω નો અવરોધ, એક ૮ Ω નો અવરોધ તથા ૧૨ Ω નો અવરોધ તથા એક પ્લગકળ બધા શ્રેણીમાં જોડેલ હોય.
- ઉપરના પ્રશ્ન ૧ નો પરિપથ ફરી દોરો કે જેમાં એમીટર અને વોલ્ટમીટર (૧૨ Ω ના છેડે) જોડેલા હોય. તેમના અવલોકનો શું હશે ?
બિંદુ ૧૧.૬.૨ ના પ્રશ્નો (પાના નંબર ૧૮૮ પર): “
- જ્યારે (a) ૧ Ω તથા
Ω (b) ૧ Ω,
Ω અને
Ω અવરોધો સમાંતર જોડવામાં આવે, તો પરિણામી અવરોધ નક્કી કરો. - ૧૦૦ Ω નો વિદ્યુતબલ્બ, ૫૦ Ω નું ટોસ્ટર અને ૫૦૦ Ω નું વોટર ફિલ્ટર ૨૨૦ V ના સપ્લાય સાથે સમાંતરમાં જોડેલ છે. તેમની જગ્યાએ એક જ વિદ્યુતઇસ્ત્રી જોડતાં તે આ ત્રણેય સાધનોના કુલ પ્રવાહ જેટલો જ પ્રવાહ ખેંચે છે, તો ઇસ્ત્રીનો અવરોધ કેટલો હશે અને તે કેટલો પ્રવાહ ખેંચશે ?
- વિદ્યુત સાધનોને બેટરી સાથે શ્રેણીમાં જોડવાને બદલે સમાંતર જોડતાં કયા ફાયદા થાય છે ?
- ૨ Ω, ૩ Ω અને ૬ Ω ના અવરોધોને કેવી રીતે જોડશો કે જેથી પરિણામી અવરોધ (a) ૪ Ω (b) ૧ Ω મળે.
- ૪ Ω, ૮ Ω, ૧૨ Ω અને ૨૪ Ω અવરોધ ધરાવતા ગૂંચળાઓને સંયોજિત કરતાં કેટલો મહત્તમ અને ન્યૂનતમ અવરોધ મળે ?
બિંદુ ૧૧.૭.૧ ના પ્રશ્નો (પાના નંબર ૧૯૦ પર): “
- શા માટે વિદ્યુતહીટરનું દોરડું ચમકતું નથી જ્યારે તેનો તાપીય ઘટક ચમકે છે ?
- ૫૦ V ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ ૧ કલાકમાં ૯૬,૦૦૦ કુલંબ વિદ્યુતભાર એકથી બીજે સ્થાને ખસેડતાં ઉત્પન્ન થતી ઉષ્મા શોધો.
- ૨૦ Ω અવરોધ ધરાવતી વિદ્યુતઇસ્ત્રી ૫ A વિદ્યુતપ્રવાહ ખેંચે છે. ૩૦ સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા ગણો.
બિંદુ ૧૧.૮ ના પ્રશ્નો (પાના નંબર ૧૯૧ પર): “
- વિદ્યુતપ્રવાહ દ્વારા અપાતી ઊર્જાનો દર શાનાથી નક્કી થાય છે ?
- એક વિદ્યુતમોટર ૨૨૦ V ની લાઈનમાંથી ૫ A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને ૨ કલાકમાં વપરાતી ઊર્જા ગણો.
📘 પ્રકરણ ૧૨: વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો ના ઇન્ટેક્સ્ટ પ્રશ્નો
બિંદુ ૧૨.૧ ના પ્રશ્નો (પાના નંબર ૧૯૬ પર): “
- હોકાયંત્રની સોયને ગજિયા ચુંબકની નજીક લઈ જતાં તેનું કોણાવર્તન કેમ થાય છે ?
બિંદુ ૧૨.૨.૪ ના પ્રશ્નો (પાના નંબર ૨૦૧ પર): “
- ટેબલના સમતલમાં રહેલ તારનું વર્તુળાકાર લૂપ ધ્યાનમાં લો. ધારો કે આ લૂપમાંથી સમઘડી દિશામાં પ્રવાહ પસાર થાય છે. જમણા હાથના નિયમનો ઉપયોગ કરી લૂપની અંદર તેમજ બહાર ચુંબકીય ક્ષેત્રની દિશા શોધો.
- આપેલ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન છે. આ દર્શાવતી આકૃતિ દોરો.
- સાચો વિકલ્પ પસંદ કરો: અતિ લાંબા સુરેખ વિદ્યુતપ્રવાહધારિત સોલેનોઈડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર: (a) શૂન્ય હોય છે, (b) છેડા તરફ જતાં ઘટે છે, (c) છેડા તરફ જતાં વધે છે, (d) બધાં બિંદુઓએ સમાન હોય છે.
બિંદુ ૧૨.૩ ના પ્રશ્નો (પાના નંબર ૨૦૩ પર): “
- જ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી કયો ગુણધર્મ બદલાશે ? (a) દળ, (b) ઝડપ, (c) વેગ, (d) વેગમાન.
- પ્રવૃત્તિ ૧૨.૭ માં નીચેના કિસ્સામાં સળિયા AB ના સ્થાનાંતર પર શું અસર થશે ?
- (i) સળિયા AB માંથી પસાર થતો પ્રવાહ વધે.
- (ii) વધુ પ્રબળ નાળચુંબકનો ઉપયોગ કરવામાં આવે.
- (iii) સળિયા AB ની લંબાઈ વધારવામાં આવે.
- પશ્ચિમ દિશામાં પ્રક્ષિપ્ત કરેલ ધન વિદ્યુતભારિત કણ (આલ્ફા-કણ)નું ચુંબકીય ક્ષેત્ર દ્વારા ઉત્તર દિશામાં વિચલન થાય છે, તો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે ?
બિંદુ ૧૨.૪ ના પ્રશ્નો (પાના નંબર ૨૦૫ પર): “
- વિદ્યુત-પરિપથો તથા ઉપકરણોમાં સામાન્ય રીતે વપરાતા બે સુરક્ષા ઉપાયોના નામ લખો.
- ૨ kW પાવર રેટિંગ ધરાવતું એક ઇલેક્ટ્રિક ઓવન ૫ A નું પ્રવાહ રેટિંગ ધરાવતા ઘરેલું વિદ્યુત-પરિપથ (૨૨૦ V) માં વાપરવામાં આવે છે. આ પરિપથમાં તમે કયા પરિણામોની અપેક્ષા રાખો છો ? સમજાવો.
- ઘરેલું વિદ્યુત-પરિપથોમાં ઓવરલોડિંગને નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ ?
📘 પ્રકરણ ૧૩: આપણું પર્યાવરણ ના ઇન્ટેક્સ્ટ પ્રશ્નો
બિંદુ ૧૩.૧ ના પ્રશ્નો (પાના નંબર ૨૧૦ પર): “
- પોષકસ્તરો એટલે શું ? એક આહારશૃંખલાનું ઉદાહરણ આપો અને તેમાંના વિવિધ પોષકસ્તરો જણાવો.
- નિવસનતંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે ?
બિંદુ ૧૩.૨ ના પ્રશ્નો (પાના નંબર ૨૧૫ પર): “
- ઓઝોન એટલે શું ? અને તે કોઈ નિવસનતંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે ?
- તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો ? કોઈ પણ બે પદ્ધતિઓનાં નામ આપો.